રવિ શાસ્ત્રી
May 27, 1962
6:27:00
Mumbai
72 E 50
18 N 58
5.5
Kundli Sangraha (Tendulkar)
ચોક્કસ (A)
તમે મિલનસાર છો અને પ્રસન્નતાની સાચી સ્થિતિ માટે તમે મિત્રોના બહોળા વર્તુળ ની શોધ કરશો. અને આ મિત્રોમાંથી તમે જેને સર્વસ્વ ગણી શકો તેને અલગ કરશો અને જો તમે લગ્ન નહીં કર્યા હોય તો તે એ હશે કે જેની સાથે તમે લગ્ન કરશો. તમારો સ્વભાવ સહાનુભૂતિભર્યો છે. તદનુસાર દરેક કારણો સબબ એમ નિશ્ચતપણે કહી શકાય કે તમારું લગ્નજીવન સુખી હશે. તમે એ પ્રકારના છો કે જે પોતાના ઘર અને તેમાં સમાવિષ્ટોનો ખુબ જ વિચાર કરો છો, અને તેને વ્યવસ્થિત અને આરમદાયક બનાવવા ઇચ્છશો. ઘરની અસ્તવ્યસ્તતા તમારી સંવેદનશીલતાની સાથે ઘર્ષણ કરી શકે છે. તમારા બાળકો તમારા માટે ખુબ જ મહત્ત્વના હશે. તમે એમના માટે કામ કરશો અને સુખ તેમજ શિક્ષણમાં તેમને પરાકાષ્ઠા સુધી લઈ જશો, અને તમે જે પ્રદાન કરશો તે એળે નહીં જાય
સ્વાસ્થ્યની બાબતમાં ચિંતા કરાવે તેવું કશું જ નથી. જો કે તમે તમારા શરીરનું બંધારણ કે ઘડતર પરિપૂર્ણ છે તેવો દાવો ન કરી શકો, પણ તેમાં કોઈ મોટી અપૂર્ણતા નથી. પરંતુ તમારી કાળજી રાખવી જોઈએ. સામાન્ય રીતે ફેફસાં સૌથી નબળો ભાગ છે, પરંતુ જ્ઞાનતંતુ પણ તકલીફ આપી શકે છે. માથાનો દુખાવો કે વારંવાર થતો માથાનો દુખાવો (આધાશીશી) તમની થઈ શકે છે. જેમ બને તેમ સ્વાભાવિક જીવન જીવશો, જ્યારે પણ શક્ય હોય ત્યારે તાજી હવામાં બહાર નિકળો, અને તમારા ખોરાક અને દારૂ બાબતે સંયમી રહો.
તમને માનસિક કસરત કરવાનું પસંદ છે અને કલા જેટલી વધારે સુસંસ્કૃત તેટલું તમારા માટે વધારે સારું. પ્રવાસના માર્ગ પર જવાને બદલે તમને તેનું આયોજન કરવામાં વધારે આનંદ આવે છે. પુસ્તકો અને વાંચનને તમે પ્રેમ કરો છો, અને કલાત્મક કે વૈજ્ઞાનિક વસ્તુઓના સંગ્રહસ્થાનમાં લટાર મારવામાં તમને આનંદ આવે છે. તમને જૂની અને ખુબ જ જૂની વસ્તુઓમાં વિશિષ્ટ લગાવ છે.