B. Ramalinga Raju
Sep 16, 1954
11:19:00
Bhimavaram
81 E 35
16 N 34
5.5
Kundli Sangraha (Bhat)
ચોક્કસ (A)
તમારા સ્વભાવ પ્રમાણે અસ્તિત્વ માટે તમને મૈત્રી અને પ્રેમની જરૂર છે. એટલા માટે તમે વહેલાં લગ્ન કરશો, જો કે શક્ય છે કે બંધનકારક જોડાણ પહેલાં તમારે એક કરતાં વધારે પ્રેમ પ્રકરણ હશે. એક વખત લગ્ન થઈ જાય પછી તમે વખાણવા યોગ્ય જીવનસાથી છો. જ્યારે પ્રેમ સંબંધ તમારા જીવનમાં આવે ત્યારે તમે જાણે કે વાદળ પર ચાલતા હોવ તેવું તમને લાગે, હંમેશ કરતાં વધારે ભાવનાપ્રધાન. તે પ્રેમપાત્ર સાથેની લાગણીઓને ઊંડી બનાવી શકે છે, અને ખુબ જ આધ્યાત્મિક બનીને તમે તમારા સંબંધનું નવું અર્થધટન ગ્રહણ કરી શકો છો.
સુખ-સગવડોને તમે ઘણું મહત્ત્વ આપો છો. આ લાક્ષણિકતાના ફળ સ્વરૂપે તમે સારી સારી ભોજનની વાનીઓના રસિયા છો અને તમારો ખોરાક તમે માણો છો. વાસ્તવમાં તમે જીવવા માટે નથી ખાતા પણ ખાવા માટે જીવો છો. એટલા માટે એ આશ્ચર્યની વાત નથી કે તમારા શરીરનો એક ભાગ એવું તમારું પાચનતંત્ર તમને સૌથી વધુ ચિંતા આપશે. અપચો કે અજીર્ણ જેવી વ્યાધિ જ્યારે આવે ત્યારે તેની અવગણના કરશો નહીં અને દવાઓની મદદથી તેનું નિવારણ કરવાનો પ્રયત્ન કરશો નહીં. મધ્યમ પ્રકારની કસરતો, જેવી કે ચાલવું, કરશો અને શરીરને હળવી રીતે મરોડવાની કસરત કરશો. પુષ્કળ પ્રમાણમાં તાજી હવા શ્વાસમાં લેશો અને વિવેકપૂર્વક ખોરાક લેશો અને ફળફળાદિ લેવાનું રાખશો. તેમ છતાં જો તકલીફ ચાલુ રહે તો તમારે ડૉક્ટરની મુલાકાત કરવી જ જોઈએ. ૫૦ વર્ષની ઉમર પછી પ્રમાદ અને આળસથી સાવધાન રહેશો. તમારી વૃત્તિ આ કે તે છોડી દેવાની થશે અને તમે એવી વ્યક્તિ થશો કે જેણે જીવનમાંથી રસ ગુમાવી દીધો છે. દ્રવ્યો સાથે તમારો હિતસંબંધ રાખશો, તમારા મુખ્ય વ્યવસાય બહારનો કોઈ શોખ કેળવશો અને યાદ રાખશો કે જો કોઈ પોતાની સાથે જ સંબંધ રાખવા કરતાં યુવાનો સાથે સંબંધ રાખે તો તે કદી ઘરડો નહીં થાય
વાંચન, ચિત્રકામ, નાટક અને આવાં કલા અને સાહિત્યિક આનંદપ્રમોદો તમારા મગજનો કબજો લેશે. એકાએક આધ્યાત્મમાં કે કુદરતના કાયદાથી પર કે અલૌકિક વસ્તુઓમાં તમારી રુચી થાય તો તે આશ્ચર્યજનક નહીં ગણાય. જમીનની, દરિયાઈ કે હવાઈ મુસાફરી પણ તમને આકર્ષશે. ક્રિકેટ, ફૂટબૉલ જેવી રમતો માટે તમારી પાસે ઓછો સમય રહેશે. ગમે તે રીતે, તમને અંત:ગૃહ રમતો, જેવી કે ટેબલ-ટેનિસ, કૅરમ, બૅડમિંટન ઇત્યાદિમાં રુચી હશે.