Diana
Jul 1, 1961
20:18:00
London
0 W 7
51 N 30
0.0
Others|Shri VishwaVijay Panchangam
તમે પ્રેમને ખુબ જ ગંભીરતાથી લો છો. વાસ્તવમાં, તમારો અભિગમ એવો છે કે જેના લીધી શક્ય છે કે તમારી લાગણીનું પાત્ર મૂંઝાઈ જાય. એક વખત તમાર સાચા પ્રેમનો તબક્કો સરળતાથી પસાર થઈ જાય પછી તમે વ્યક્ત કરશો કે તમારી લાગણી ઊંડી અને વાસ્તવિક છે. તમે એક લાગણીપ્રધાન જીવનસાથી બનશો અને જેની સાથે તમે લગ્ન કરશો તે તમારો અખંડ પ્રેમ મેળવશે. તેમ છતાં, તે અથવા તેણી તમારી મુશ્કેલીઓને ધ્યાનથી સાંભળે તેવું ઇચ્છશો. પરંતુ બીજાઓને સહાનુભૂતિથી સાંભળવાની ધીરજ તમારામાં નહીં હોય.
તમારા શરીરનું બંધારણ કે ઘડતર સારું છે. તમે ગણનાપાત્ર જીવનશક્તિ ધરાવો છો અને જો તમે પ્રચુર માત્રામાં ખુલ્લી જગ્યામાં કસરત કરશો તો તે પાછલી ઉમર સુધી જળવાઈ રહેશે. પણ આ સહેલાઈથી વધારે પડતી હોઈ શકે છે. જો તમે વ્યાજબી માત્રા કરતાં વધારે કસરત કરશો તો તે તમારા શ્વશનતંત્રને તકલીફ આપશે અને તમને શ્વાસનળીના રોગો થશે. ૪૫ વર્ષની ઉમર પછી રાંઝણ (સાઈટિકા) અને સંધિવાના હુમલા થવાની શક્યતા છે. આ હુમલાઓનું કારણ આપવું અઘરું છે પણ તે જો તમે રાત્રીની હવામાં રહો તો થઈ શકે છે.
આનંદપ્રમોદના સાધન તરીકે મુસાફરી કરવી તમને ઘણી જ ગમે છે. જો તમારી પાસે પૈસા અને સમય હશે તો તમે તેને હૃદયપૂર્વક નિરંકુશપણે માણશો. જાણે કે ઓછી શાંતિ કે વિશ્રાંતિથી તમારે સંતોષ માનવો રહ્યો. પત્તા રમવાના તમને ગમે છે અને એ વાત શંકા વિનાની છે કે તમને વસ્તુઓની રચના કરવામાં પ્રસન્નતા મળે છે – પછી તે કોઈ પણ પ્રકારનો રેડિયો હોય કે તસવીરોને છાપવાની હોય.