Pradeep Kumar Jain Aditya
Sep 8, 1962
12:00:00
Jhansi
78 E 34
25 N 25
5.5
Kundli Sangraha (Bhat)
ચોક્કસ (A)
તમારા સ્વભાવ પ્રમાણે અસ્તિત્વ માટે તમને મૈત્રી અને પ્રેમની જરૂર છે. એટલા માટે તમે વહેલાં લગ્ન કરશો, જો કે શક્ય છે કે બંધનકારક જોડાણ પહેલાં તમારે એક કરતાં વધારે પ્રેમ પ્રકરણ હશે. એક વખત લગ્ન થઈ જાય પછી તમે વખાણવા યોગ્ય જીવનસાથી છો. જ્યારે પ્રેમ સંબંધ તમારા જીવનમાં આવે ત્યારે તમે જાણે કે વાદળ પર ચાલતા હોવ તેવું તમને લાગે, હંમેશ કરતાં વધારે ભાવનાપ્રધાન. તે પ્રેમપાત્ર સાથેની લાગણીઓને ઊંડી બનાવી શકે છે, અને ખુબ જ આધ્યાત્મિક બનીને તમે તમારા સંબંધનું નવું અર્થધટન ગ્રહણ કરી શકો છો.
તમારા શરીરનું બંધારણ કે ઘડતર મજબૂત છે, પણ કામ અને રમતથી તેની ઉપર ગજા ઉપરાંતનો બોજો લાદવો એ તમારું વલણ છે. તમે જે કાંઈ કરો છો તે મહેનતપૂર્વક કરો છો, એટલા માટે જીવન તમારામાંથી ઘણું જ વધારે ખેંચી લે છે. તમારા કામ તમે સ્વસ્થતાપૂર્વક કરો, ચર્ચાવિચારણા કરો, વધારે મિનિટો ચાલવાનું રાખો અને જમવા માટે વધારે સમય લો. ઊંઘના કલાકો ક્યારેય ઓછ ન કરો, અને જેમ બને તેમ કામના મુકરર સમય પછી વધારાનું કામ કરવાનું ટાળો. જેમ બને તેમ લાંબી રજાઓ પર જાઓ અને તે આરામદાયક બને તેવું આયોજન કરો. જ્યારે માંદગી આવશે ત્યારે તમારું હૃદય તમને સૌથી પહેલાં તકલીફ આપશે. જો તે ગજા ઉપરાંતનું કામ કરતું હશે તો તે તમારી સામે બળવો કરશે, પણ પહેલી વખત તે હળવો હશે. પહેલી મુશ્કેલીની નિશાની પરથી જ તાકીદ કરો, ત્યાર પછીનો બનાવ વધારે ગંભીર હશે.
વાંચન, ચિત્રકામ, નાટક અને આવાં કલા અને સાહિત્યિક આનંદપ્રમોદો તમારા મગજનો કબજો લેશે. એકાએક આધ્યાત્મમાં કે કુદરતના કાયદાથી પર કે અલૌકિક વસ્તુઓમાં તમારી રુચી થાય તો તે આશ્ચર્યજનક નહીં ગણાય. જમીનની, દરિયાઈ કે હવાઈ મુસાફરી પણ તમને આકર્ષશે. ક્રિકેટ, ફૂટબૉલ જેવી રમતો માટે તમારી પાસે ઓછો સમય રહેશે. ગમે તે રીતે, તમને અંત:ગૃહ રમતો, જેવી કે ટેબલ-ટેનિસ, કૅરમ, બૅડમિંટન ઇત્યાદિમાં રુચી હશે.